શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? હદિસો થી જવાબો

પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે આ વાત આપણે પવિત્ર કુરઆન ની આયતો વડે સાબિત કરી, જેની આપણે નીચે ના વિષય મા ચર્ચા કરી ચુક્યા છીએ.
              શુ પવિત્ર પૈગમ્બર (..) જીવંત છે? કુરઆન વડે સાબિતી
              શુ પવિત્ર પૈગમ્બર (..) જીવંત છે? ઉમ્મત ગવાહ છે
              આ ઉપરાન્ત હદીસો મા થી પણ ઘણી સાબિતીઓ મળી આવે છે જે આ વિષય ને પુરવાર કરે છે અને જે આપણો વિષય છે
() હદીસો
              એવી અસંખ્ય હદીસો ભરોસપાત્ર સુન્ની કિતાબો મા મળી આવે છે કે જે સ્પષ્ટ પણે દર્શાવે છે કે રસૂલ (સ.અ.વ) આ દુનિયા મા થી રૂખ્સત થવા પછી પણ જીવંત છે. રસૂલ (સ.અ.વ) ના સંબંધ મા ઘણા એવા વાકેઆ મળી આવે છે કે જે રસૂલ (સ.અ.વ) ના જીવંત હોવા ના પુરાવા છે.

() સલવાત
              અહી  આપણે એવી અસંખ્ય હદીસો ની યાદી તય્યાર કરી શકીયે છીએ કે જે પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) ઉપર સલામ અને સલવાત નુ મહત્વ, તેની અગત્યતા,તેનો સવાબ વિગેરે વર્ણવે છે. આ વિષય નુ વધુ સંશોધન કુરઆન ની બે આયતો ની નીચે થઇ શકે છે..

              બેશક અલ્લાહ અને તેના મલાએકાઓ નબી ઉપર સલવાત મોક્લે છે, ઇમાન લાવનારાઓ તમે લોકો તેમના ઉપર સલવાત મોક્લો અને તેમને એવી સલામ કરો કે જેથી તમે તસ્લીમ થઈ જાઓ. (સુરે અહ્ઝાબ(૩૩) આયત ૫૬)
              અલ્લાહ ની રેહમત અને સલવાત થાય તમારી ઉપર એહલેબૈત બેશક તે વખણાય છે અને ભવ્ય છે. (સુરે હુદ(૧૧) આયત ૭૩)
એવી ઘણી હદીસો છે કે જે હકીકત ને પુરવાર કરે છે કે પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) ઉપર જે સલામ અથવા સલવાત મોકલવા મા આવે છે તેના થી તે માહિતગાર છે અને તેનો જવાબ પણ આપે છે. આ ત્યારેજ શક્ય છે કે જ્યારે તે જીવંત હોય. આ વિષય ઉપર અસંખ્ય હદીસો વર્ણવ્વા મા આવી છે જેમા થી આપણે ફક્ત બેજ હદીસો પર પ્રકાશ પાડીશુ.

()  અબુ દર્દા રીવાયત કરે છે કે પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) ફરમાવે છે કે " જુમઆ ના દિવસે મારા ઉપર વધારે મા વધારે સલવાત મોક્લો કારણ કે આ એજ દિવસ છે કે જ્યારે ફરિશ્તાઓ મારી પાસે આવે છે અને જેણે મારા ઉપર સલવાત મોક્લી હોય છે તે દરેક ની સલવાત ને મારી સમક્ષ રજૂ કરે છે.
અબુ દર્દા એ પૂછ્યુ ; તમારી વફાત પછી પણ?
પૈગમ્બર (સ.અ.વ) એ જવાબ આપ્યો " અલ્લાહ એ આ ઝમીન ને નબીઓ ના શરીર ને ઉપભોગ કરવા ની મનાઇ ફરમાવી છે.
(સુનન-એ-ઇબ્ને માજા,  જિલા અલ ઇફ્હામ ઇબ્ને કય્યૂમ ની )

()  જાબિર ઇબ્ને સમુરાહ રીવાયત કરે છે કે અલ્લાહ ના નબી (સ.અ.વ) એ ફરમાવયુ " હુ મક્કા ના એ પથ્થર ને જાણુ છુ કે જે મારા નબી બનવા પેહલા પણ મારા ઉપર સલવાત મોકલતો હતો અને હુ જાણુ છુ કે અત્યારે પણ"

(સહિહ મુસ્લિમ, કિતાબ અલ ફઝાએલ, હદીસ ૫૬૫૪)

આ હદીસો એ વાત સાબિત કરે છે કે જગ્યા અને સમય રસુલ (સ.અ.વ) માટે નડતરરૂપ નથી. તેમને માટે સમય અને જગ્યા સાંભળવા અને જોવા માટે અવરોધરૂપ નથી. જે લોકો રસુલ (સ.અ.વ) ને મરેલા ગણે છે તેને એ જાણવુ જોઇએ કે આ લાક્ષણિક્તાઓ મરેલા માણસ ની નથી, ઉપરાંત તે એ બતાવે છે કે રસુલ (સ.અ.વ) જીવતા માણસો કરતા વધારે જીવંત છે.
() મેઅરાજ (બઢ્તી)
             
              રસુલ (સ.અ.વ) નુ મેઅરાજ ઉપર જવુ એ એક બીજો દ્રશટાંત છે કે જે સાબિત કરે છે કે નબીઓ (અ.સ) મ્રુત્યુ નથી પા્મયા. એવા ઘણા એહવાલ જાણવા મળે છે જેમા આપ (સ.અ.વ) એવા નબીઓ ને મળયા અને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો, કે જેઓ સદીઓ અગાઉ ગુજરી ચૂક્યા હતા. આમા થી અમૂક વાકેઆ નીચે વર્ણવેલ છે.
() હ. રસુલે ખુદા (સ.અ.વ) બયાન ફરમાવે છે કે "જ્યારે હુ મક્કા થી મદીના તરફ પસાર થઇ રહયો હતો, મે હઝરત મુસા (અ.સ) ને અઝરાક ની ખીણ મા જોયા, તેઓ બલંદ અવાજ મા 'તલબિયાહ' (એટલે કે "લબ્બૈક અલ્લાહુમ્મ લબ્બૈક" કહેવુ અર્થાત 'હુ હાજર છુ એ અલ્લાહ હુ હાજર છુ તારી સેવા માટે તત્પર છુ') પઢી રહ્યા હતા. એક બીજા પ્રસંગે મે હ. યુનુસ (અ.સ) ને જોયા કે જેણે ઊન ની લાંબી અબા પહેરેલી હતી અને લાલ ઊટ ઊપર સવાર હતા.
(સુનન ઇબ્ને માજા, પે ૨૦,૨૦૮)

() સહિહ બુખારી અને સહિહ મુસ્લીમ મા નક્લ કરવા મા આવ્યુ છે કે અલ્લાહ એ મેઅરાજ ની રાત્રે દરેક નબી (અ.સ) ને હ. રસુલે ખુદા (સ.અ.વ) પાસે મોકલ્યા. આપ (સ.અ.વ) ઇમામ બન્યા અને નબીઓ એ આપ ની પાછળ બે રકાત નમાઝ અદા કરી.

() એવી બીજી અસંખ્ય રીવાયતો મળી આવે છે કે જ્યારે રસુલે ખુદા (સ.અ.વ) સાત મા આસમાન તરફ જઇ રહયા હતા ત્યારે આપ (સ.અ.વ) આસમાન મા અલગ અલગ પૈગમ્બરો જેમ કે હ. ઇબ્રાહીમ (અ.સ) અને હ. યુસુફ (અ.સ) ને મળ્યા અને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો. નમાઝો ની રકાતો ની સંખ્યા કે જે પચાસ હતી તેનો ઘટાડો કરવા મા જ. મુસા (અ.સ) એ જે ભાગ ભજવ્યો તે ઘણા બધા ઓલમાઓ એ સારી રીતે ઉલ્લેખ કરેલ છે.

એ સ્પષ્ટ છે કે જો સાચા પૈગમ્બરો (અ.સ) મરી ચુક્યા હોતે અને જિંદગી વગર ના હોતે (lifeless) કે જે કહેવાતા મુસલમાનો દાવો કરી રહ્યા છે (આરોપ મૂકી રહ્યા છે.) , તો તેઓ એ સમ્માન (મર્તબો)  ન પામી શક્તે કે જે રસુલે ખુદા (સ.અ.વ) ને મળવાનો અને તેમની સાથે વાર્તાલાપ નો છે,

() મ્રુત્યુ સમય ની વેદના અને મુસ્લીમ ની કબર

              આ એક સ્વિક્રુત હકીકત છે કે મુસ્લીમ ના મ્રુત્યુ સમયે હ. રસુલે ખુદા (સ.અ.વ) હાજર હોય છે અને મુસ્લીમ તેને જુએ છે અને ઓળખે પણ છે. જો તે તેના માટે કાબીલ (હક્દાર) હોય તો રસુલ (સ.અ.વ) તેના માટે શફાઅત કરે છે. જ્યારે ફરિશતાઓ મુર્દા ને કબ્ર મા રસુલ (સ.અ.વ) પ્રત્યે ની માન્યતા ના બારા મા સવાલ કરે છે, ત્યારે તેઓ (સ.અ.વ) તેની કબ્ર મા મૌજૂદ હોય છે અને મુસ્લીમ તેને જુએ પણ છે.(મિશકાત અલ શરીફ મુહમ્મદ બિન અબ્દુલ્લાહ થી, સહિહ બુખારી, કિતાબ અલ-જનાએઝ, હદીસ ૪૨૨)

આ સાબિત કરે છે કે રસુલ (સ.અ.વ) જીવંત છે અને એકજ સમયે અલગ અલગ જગ્યાએ મૌજૂદ હોય છે. ઉપરાંત, મુસ્લિમો ના અમલ પ્રમાણે તેઓ (સ.અ.વ) તેમના માટે શફાઅત કરે છે. (બન્ને મ્રુત્યુ સમયે અને કબ્ર મા પણ.) કે જે કેહવાતા મુસ્લિમો ના દાવા ને જૂઠ સાબિત કરે છે કે જેઓ એવો દાવો કરે છે કે રસુલ (સ.અ.વ) કારણ કે મરી ચુક્યા છે, ન તો તે ફાયદો પહોચાડી શકે છે ન તો નુક્સાન અને જાહેર કરે છે કે આવી માન્યતા શીર્ક છે

() . રસુલે ખુદા (..) ની ખુશી અને નારાઝ્ગી

              બીજી દલીલ કે જે સાબિત કરે છે કે રસુલે ખુદા (સ.અ.વ) જીવંત છે તે તેમની ખુશી અને નારાઝ્ગી છે, કે જે અલ્લાહ ની ખુશી અને નારાઝ્ગી અને અનુક્રમે જન્નત અને જહન્નમ ના પરિણામ તરફ દોરી જાય છે.
              હવે એક સવાલ કે જેનો જવાબ આ મુસલમાનો ને આપવો જરૂરી છે તે એ છે કે શુ એ શક્ય છે કે પૈગમ્બર (સ.અ.વ) ને ફક્ત તેમના જીવનકાળ દરમિયાનજ ખુશ અથવા નારાઝ કરી શકાય છે કે તેમના મ્રુત્યુ પછી પણ કરી શકાય છે?
              અગર ફક્ત એકજ શક્યતા છે કે રસુલે ખુદા (સ.અ.વ) ને ફક્ત તેમની હયાતી માજ ખુશ અથવા નારાજ કરી શકાય છે તો પછી એવી અસંખ્ય હદીસો કે જેમા રસુલે ખુદા (સ.અ.વ) એ કોઇ અમલ નો હુકમ આ્પયો હોય અથવા તો કોઇ અમલ થી આગાહ કર્યા હોય કે જે અનુક્રમે અલ્લાહ ની ખુશનુદી અથવા નારાઝ્ગી નો સબબ હોય અને પરિણામે જન્નત અથવા જહન્નમ તરફ દોરી જતી હોય, તેનો મતલબ શુ રહેશે? શુ તેનો અર્થ એવો થશે કે કારણ કે હવે રસુલે ખુદા (સ.અ.વ) મ્રુત છે, તો મુસલમાનો એવા અમલ કરવા અથવા ન કરવા માટે મુક્ત અથવા આઝાદ છે, કારણ કે તેનુ કોઇ પરિણામ નથી?

              દાખલા તરીકે, નીચે ની અમૂક હદીસો લઇએ કે જેને આલિમો એ ઘણી બધી વિસ્ત્રુત સંખ્યા મા વર્ણવેલી છે.
() ફાતેમા મારો એક ભાગ છે, કે જેણે એમને (સ.અ) ને નારાઝ કર્યા તો તેણે મને નારાઝ કર્યો અને જેણે તેમને સતાવ્યા તેણે મને સતાવ્યો.
(સહિહ બુખારી, ભાગ ૬, પાના ન ૧૫૮, મુસ્નદે એહમદ ભાગ ૪, પાના ન ૩૨૪, સહિહ મુસ્લિમ ભાગ ૭, પાના ન ૧૪૧, Book of the Companion's virtues, Chapter of Fatemah binte Muhammad's Virtues, સુનન-એ-અબી દાઊદ ભાગ ૧, પાના ન ૪૬૦)

() ........તે(ફાતેમા) મારો ભાગ છે, તેણી મારૂ દિલ છે, તેણી મારી બાજુઓ ની રૂહ છે. જેણે તેણી ને નારાઝ કર્યા તેને મને નારાઝ કર્યા અને જેણે મને નારાઝ કર્યા તેને અલ્લાહ ને નારાઝ કર્યા.
(નૂર અલ-અબસાર, પાના ન ૫૨, બેહાર અલ-અન્વાર, ભાગ ૪૩, પાના ન ૫૪)

              શુ આવા પ્રકાર ની હદીસો ફક્ત રસુલ(સ.અ.વ) ની હયાતી દરમિયાનજ સત્ય હોય છે? શુ જ. ફાતેમા (સ.અ), રસુલ (સ.અ.વ) ની હયાતી દરમિયાનજ રસુલ(સ.અ.વ) નો હિસ્સો હતા અને તે્મની ખુશી,નારાઝ્ગી, ગુસ્સો,વ્યથા ફક્ત રસુલ (સ.અ.વ) ના જીવન દરમિયાનજ રસુલ (સ.અ.વ) ની ખુશી, નારાઝ્ગી, ગુસ્સો કે વ્યથા ની બરાબર હતુ?
શુ આ હદીસ રસુલ (સ.અ.વ) ના મ્રુત્યુ પછી નિરર્થક છે કારણ કે એક મ્રુત રસુલ ને ખુશ, નારાઝ, ગુસ્સો કે વ્યથિત ન કરી શકાય? જો આવુજ હતુ, તો જ્યારે અબુબક્ર, ઉમર, અને બીજા મુસલમાનો એ ફદક ના બારા મા તેમની(જ.ફાતેમા(સ.અ)) સાથે વિવાદ કર્યો અને જ્યારે જ. ફાતેમા (સ.અ) દ્વારા આવી હદીસો પેશ કરવામા આવી, ત્યારે શા માટે આવી હદીસો ને અમાન્ય ગણી ને અને આમ કહી ને વિરોધ કરવામા ન આવ્યો કે જ્યારે રસુલ (સ.અ.વ) મરી ચૂક્યા છે તો ખુશી અને નારાઝ્ગીવાળી હદીસો મા સારપ નથી ??
              આનો અર્થ ફક્ત એજ છે કે રસુલ (સ.અ.વ) ને તેમના મરવા પછી પણ એવીજ રીતે ખુશ, નારાઝ કે ઉદાસ કરી શકાય છે જેવી રીતે તેમની હયાતી દરમિયાન ખુશ, નારાઝ કે ઉદાસ કરી શકાતા હતા અને આવી ખુશી, નારાઝ્ગી કે વ્યથા ને કઇક પરિણામ હોય છે એટ્લે કે તે અલ્લાહ સાથે જોડાએલુ છે અને જન્નત અથવા જહન્નમ તરફ દોરી જાય છે. આનો અર્થ એવો છે કે રસુલ (સ.અ.વ) જીવંત છે કારણ કે ખુશી, નારાઝ્ગી કે વ્યથા કોઇ મ્રુત અથવા લાચાર વ્યક્તિ ને સીફત ન આપી શકાય.

              આવી પરિસ્થિતિ મા કેમ કરી ને આ કેહવાતા મુસલમાનો આરોપ લગાવી શકે છે કે રસુલ (સ.અ.વ) મરી ચુક્યા છે અને કોઇ નફો કે નુક્સાન પહોચાડી શક્તા નથી.? શુ જન્નત અથવા જહન્નમ કરતા વધારે ફાયદાકારક અથવા નુકસાનકારક કાઇ પણ હોઇ શકે કે જે તેમના મરવા પછી પણ તેમની ખુશી કે નારાઝ્ગી નુ પરિણામ છે.?

() ઉમ્મત ના ગવાહ
              આપણે અગાઉ ના લેખ મા નીચે ની આયતો ના સંદર્ભ મા રસુલ (સ.અ.વ) નો મકામ ઉમ્મત ના ગવાહ તરીકે ની ચર્ચા વિસ્તાર થી કરી ચુક્યા છીએઃ
અ. "અને દિવસે કે જ્યારે અમે દરેક ઉમ્મત મા થી ખુદ એમના મા થીજ ગવાહ ઉભો કરીશુ કે જે તેની સામે સાક્ષી આપશે, અને લોકો સામે સાક્ષી આપવા અમે તમને લાવીશુ...." (સુરે નહલ(૧૬) આયત ૮૯)
. " અને આવી રીતે અમે તમને વચગાળા ની ઉમ્મત બનાવ્યા કે જેથી તમે લોકો ઉપર ગવાહ રહો અને રસુલ તમારા ઉપર ગવાહ રહે" (સુરે બકરહ() આયત ૧૪૩)
" પછી લોકો શુ કરશે કે જ્યારે અમે દરેક ઉમ્મત મા થી એક ગવાહ લાવીશુ અને લોકો ની સામે તમને ગવાહ તરીકે લાવીશુ?" ( સુરે નિસા() આયત ૪૧)
" નબી, બેશક અમે તમને સાક્ષી બનાવી ને મોકલયા છે...." (સુરે અહ્ઝાબ (૩૩) આયત ૪૫)

કુરઆન ની આયતો ઉપરાંત એવી અસંખ્ય હદીસો છે જે સાબિત કરે છે કે રસુલ (સ.અ.વ) જીવંત છે અને આપણા અમલ થી બાખબર (જાણકાર) છે, કે જે ગવાહ ની ભૂમિકા હોય છે. અમે આ ચર્ચા ને એક ખૂબજ વિસ્તાર થી નક્લ થયેલી હદીસ થી પૂર્ણ કરીશુ.

              ઇબ્ને મસઉદ નક્લ કરે છે-રસુલ (સ.અ.વ) એ ફરમાવયુ- મારી જિંદગી તમારા માટે ઘણી સારી છે, તમે તેને મારી સાથે સાંકળશો અને તે તમને સાંકળશે અને મા્રૂ મૌત તમારા માટે ઘણુ સારુ છે, તમારા કાર્યો ને મારી સમક્ષ પ્રદર્શીત કરવા મા આવશે, અને જો હુ સારા અમલ જોઇશ તો હુ અલ્લાહ ના વખાણ કરીશ અને જો હુ કોઇ ખરાબ અમલ જોઇશ તો હુ તેમના થી તમારા માટે ક્ષમા માંગીશ
(મુસ્નદ, ભાગ ૧ પાના ન ૩૯૭, અલ-બઝ્ઝાર થી, મનાહીલ અલ-સફા પાના ન ૩૧, હદીસ ૮, અલ-ખસાઇસ અલ-કુબ્રા ભાગ ૨, પાના ન ૨૮૧, મજ્મા અલ-ઝવાઇદ, ભાગ ૯, પાના ન ૨૪, હદીસ ૯૧ હૈથમી થી, તર્હ અલ-તસરીબ ઇરાકી થી (૩૨૯૭) મા)
              આ અને આની જેવી બીજી હદીસો સાબિત કરે છે કે રસુલ (સ.અ.વ) તેમના મરવા પછી પણ આપણા કાર્યો થી સુમાહિતગાર છે અને આપણા માટે શફાઅત પણ કરે છે. અસંખ્ય આયતો અને હદીસો કે જે પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) ના ગવાહ ને લગતી છે તે એ દરેક માન્યતા કે જે કેહવાતા મુસલમાનો ની છે, કે જે એવો આરોપ લગાવી રહ્યા છે કે પવિત્ર પૈગમ્બર(સ.અ.વ) મરી ચૂક્યા છે અને ન તો તે ફાયદો પહોચાડી શકે છે ન નુક્સાન, તેને રદ કરે છે.

કયુ સાચુ છે ‘વ ઈતરતી’ (અને મારી એહલેબય્ત) અથવા ‘વ સુન્નતી’ (અને મારી સુન્નત (હદીસો)

હદીસ વિજ્ઞાનના વિધ્વાનો (મોહદ્દેસુન) એ હદીસે સકલૈન (બે અતીભારે મહત્વની વસ્તુઓની હદીસ) બે રીતે વર્ણવી છે અને હદીસના પુસ્તકોમાં નોંધી છે. તેમાંથી કઈ સાચી છે તેનું પરીક્ષણ કરવું રહ્યું:
1. ‘કિતાબલ્લાહ વ ઈતરતી અહલબૈતી’ (અલ્લાહની કિતાબ અને મારી એહલેબયત) અથવા
2. કિતાબલ્લાહ વ સુન્નતી’ (અલ્લાહની કિતાબ અને મારી સુન્નત (હદીસ))
જવાબ:
રસુલ (સ.અ.વ.) ની(5) પ્રમાણિત (સહીહ) અને પ્રમાણસિધ્ધ (સાબિત) હદીસ તે ‘વ એહલે બૈતી’ શબ્દ સમૂહવાળી છે. ‘એહલે બયતી’ની બદલે ‘સુન્નતી’ શબ્દવાળી હદીસની સનદ એટલેકે તેના રાવીઓની સાંકળ માન્ય નથી માટે તેને રદ (મરદુદ) કરવામાં આવી છે. જ્યારે ‘વ એહલે બયતી’ શબ્દ સમુહ વાળી હદીસના રાવીઓની સાંકળ તદ્દન શુધ્ધ છે.
‘વ એહલે બયતી’ ની રિવાયતના રાવીઓની સાંકળ
આ લેખ બે મુખ્ય અગ્રણી મોહદ્દીસોએ રિવાયત કરી છે.
1. ઝયદ અલ અરકામથી મુસ્લીમે પોતાની ‘સહીહ’ માં: એક દિવસ રસુલુલ્લાહ (સ.અ.વ.) મક્કા અને મદીના વચ્ચે આવેલ ખુમ નામના તળાવ પાસે ખુત્બો આપવા ઉભા થયા. તે ખુત્બામાં તેમણે અલ્લાહની પ્રશંસા કરી અને લોકોને ઉપદેશ આપતા કહ્યું:
رب�’ِي رسول يأتي أن يوشك بشرٌ أَنَا فان�’�…ا الناس أي�’ُها ألا�’
و الهدىٰ فيه الله كتاب أوله�…ا :الث�’َقلين فيك�… تارك أنا و فأجيب
كتاب علىٰ فحث �� به واست�…سكوا الله بكتاب فخذوا النور
أهل في الله أذكرك�… بيتي أهل و ��” :قال ث�…�’ فيه رغ�’ب و الله
“.بيتي أهل في الله أذكرك�… بيتي اهل في الله أذكرك�… بيتي

(આપણા વિષયને લગતું): અય લોકો, હું એક ઈન્સાન છું. મારા પાલનહાર તરફથી મારી પાસે એક સંદેશાવાહક આવશે (મૌતનો ફરીશ્તો) અને હું અલ્લાહના આમંત્રણને સ્વિકારીશ (તમારા વચ્ચેથી ચાલ્યો જઈશ) પરંતુ તમારી વચ્ચે બે મહા ભારે (મહત્વની) વસ્તુઓ મુકતો જાઉ છું. તેમાંથી એક અલ્લાહની કિતાબ જેમાં સાચુ માર્ગદર્શન અને નૂર છે તેથી તેને મજબુતીથી વળગી રહો.
આપ (સ.અ.વ.) (આપણને) અલ્લાહની કિતાબથી મજબૂતીથી વળગી રેહવાનો ઉપદેશ આપ્યો અને પછી કહ્યું: બીજુ મારી એહલેબૈત છે. હું તમને મારા કુટુંબીજનો (પ્રત્યેની તમારી જવાબદારી)ની યાદ આપું છું. હું તમને મારા કુટંબીજનો (પ્રત્યની તમારી જવાબદારી)ની યાદ આપું છું.(6)
દરમીએ પણ પોતાની સુન્નતમાં(7) આ લખાણનો ઉલ્લેખ કર્યો છે. ‘એ                       જોઈએ કે આ બન્નેના રાવીઓની સાંકળ સૂર્ય સમાન પ્રકાશિત છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
2. તેઓના તે વર્ણન જેમાં (વ ઈતરતી એહલેબયતી) ‘મારી ઈતરત મારા ઘરવાળાઓ’ શબ્દો વાપર્યા છે તે બારામાં તિરમીઝી લખે છે કે નબી (સ.અ.વ.) એ ફરમાવ્યું:

أحده�…ا بعدي تضل�’وا لن به ت�…س�’كت�… ان �…ا فيك�… تارك إن�’ي
إلىٰ الس�’�…اء �…ن �…�…دود حبل الله كتاب :الآخر �…ن أعظ�…
الحوض عَلي�’َ يَردا حتى يفترقا لن بيتي أهل عترتي و الأرض
“.فيها تخلفوني كيف فانظروا

ખચીતજ, હું તમારા વચ્ચે બે મહાભારે મહત્વની વસ્તુઓ મૂકતો જાઉ છું જેને તમે ચુસ્તપણે વળગી રેહશો તો તમો કયારેય ગુમરાહ નહી થાવ. એક બીજા કરતા મહાન છે. અલ્લાહની કિતાબ જે આસ્માનથી પૃથ્વી તરફ લંબાવવામાં આવેલું દોરડું છે અને મારી ઈત્રત મારી એહલેબયત આ બન્ને એકબીજાથી કયારેય જુદા નહી થાય ત્યાં સુધી કે મને હવઝે કવસર) પર મળે. તમે તેમની તરફ કેવી રીતે વર્તો છો તે વિષે સાવધ રહેજો.(8)
              બન્ને મુસ્લીમ અને તીરમીઝી જેઓ ‘સહીહ’ અને ‘સોનન’ ના સંકલન કરનારાઓમાંથી છે (એહલે સુન્નત જેમ હદીસના સંકલનને પ્રમાણભૂત ગણે છે તેમ) શબ્દ સમુહ ‘એહલેબય્ત’ને મહત્વતા આપે છે અને આ પુરાવા આપણી દ્રષ્ટિકોણને બળ આપે છે અને બન્ને હદીસના વર્ણન કરનારાઓની સાંકળ એટલી સચોટ અને વિશ્ર્વાસનીય છે કે તેમાં કોઈ ચર્ચા કે દલીલની જરત રહેતી નથી.
‘વ સુન્નતી’ વર્ણનની રાવીઓની સાંકળ
‘એહલેબયતી’ને બદલે સુન્નતી શબ્દો ઉલ્લેખ કરતી હદીસ, ઘડી કાઢેલી હદીસ છે જેની માત્ર રાવીઓની સાંકળ કમઝોર નથી પરંતુ બની ઉમય્યાના મળતીયાઓએ તે ઉપજાવી કાઢેલી અને પ્રસારીત કરેલી છે:
1. હકીમ નેશાપુરી આ વર્ણનને પોતાની મુસતદરક (અસ સ્સહીઅયન) માં નીચે મુજબના રાવીઓની સાંકળથી વર્ણવે છે.
الد�’يل�…ي زيد بن ثور عن اويس ابي عن أويس أبي بن عن عب�’اس
:الله رسول قال: قال عب�’اس ابن عن عكر�…ة عن
تضل�’وا فلن به اعتص�…ت�… أن و فيك�… تركت قد إن�’ِى الن�’اس اي�’ها يا
“!نبي�’ه سن�’ة و الله كتاب أبدًا
‘અબ્બાસ ઈબ્ને અલી ઉવૈસ અબી ઉવૈસથી વર્ણવે છે જે યવર ઈબ્ને ઝયદ અદ દયલમીથી જે ઉમ્માંથી જે ઈબ્ને અબ્બાસથી કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ કહ્યું: ‘અય લોકો હું તમારી વચ્ચે બે વસ્તુ મુકતો જાઉ છું જેમને તમે વળગી રેહશો, તો તમે ગુમરાહ નહી થાવ: અલ્લાહની કિતાબ અને તેના નબીની સુન્નત (હદીસો).’(9)
આ વર્ણનના રાવીઓમાં ઈસ્માઈલ ઈબ્ને અલી ઉવૈસ અને અબુ ઉવૈસ પિતા અને જેઓ ભરોસાપાત્ર નથી અને તેમના પર જુઠ બોલવા, હદીસો ઘડવા અને ખોટા લખાણ કરવાનો આરોપ છે.
રીજાલના વિધ્વાનો આ બન્ને પ્રકારની હદીસ માટે શું કહે છે.
હાફીઝ અલ મીઝઝી(10) જેઓ રીજાલના(11) વિધ્વાનના સંશોધનકર્તા છે. તેઓ તેહઝીબ અલ કમાલમાં ઈસ્માઈલ અને તેમના પિતા વિષે લખે છે કે:
યહ્યા ઈબ્ને મોઈન (જે ઈબ્ને રીજાલના અગ્રણ વિધ્વાન છે) કહે છે: અબુ ઉવૈસ અને તેમના પુત્ર (ઈસ્માઈલ) કમઝોર (ઝઈફ) છે. એ પણ એહવાલ છે કે યાહ્યા ઈબ્ને મોઈન કહેતા રહેતા હતા: આ બન્ને લોકો હદીસની ચોરી કરતા હતા. ઈબ્ને મોઈન પુત્ર (ઈસ્માઈલ) વિષે કહે છે કે તેનો ભરોસો કરી શકાય નહી.
નિસાઈ પુત્ર (ઈસ્માઈલ) વિષે કહે છે: તે ‘કમઝોર’ અને બિન ભરોસાપાત્ર છે. અબુલ કાસીમ લાલકાઈ કહે છે નિસાઈએ તેના વિધ્ધમાં ઘણું કહ્યું છે તારણ એ કે તેની રિવાયતોને રદ કરવી જોઈએ.
રીજાલના એક ઉલેમા ઈબ્ને અદી કહે છે: ઈબ્ને અબી ઉવૈસ, માલીકના મામા, વિચિત્ર હદીસો વર્ણવે છે. જે કોઈ સ્વીકારતું નથી.(12)
ઈબ્ને હજર (અલ અસકલાની) ફતહઉલ બારીની પ્રસ્તાવનામાં લખે છે:
જે રીતે નિસાઈએ ઈબ્ને અબી ઉવૈસ પર ઠપકાઓ ખડકયા છે તેના કારણે તેનાથી હદીસના (પૂરાવાપે) કયારેય સંદર્ભ ન લઈ શકાય.(13)
હાફીઝ એહમદ ઈબ્ને સાદિક સલમાઈ ઈબ્ને શય્બથી પોતાના પુસ્તક ફકહ અલમુલ્ક અલ આલાથી લખે છે કે: ઈસ્માઈલ ઈ. ઉવૈસને કેહતો સાંભળવામાં આવ્યો કે: જ્યારે મદીનાના લોકો કોઈ મુદ્દા પર બે ભાગમાં વહેચાઈ જતા હું હદીસ ઘડતો હતો(14)
આમ પુત્ર (ઈસ્માઈલ ઈ. અબી ઉવૈસ) પર હદીસ ઘડવાનો આરોપ છે અને ઈબ્ને મોઈન કહે છે કે તે જુઠુ બોલે છે. વધુમાં તેની રિવાયતો ન તો મુસ્લીમની સહીહમાં ન તરમીઝીની સોનનમાં અથવા કોઈ પણ સહીહમાં આવી છે.
અબુ ઉવૈસ માટે એટલું કહેવું પુરતુ છે કે અલ જરરાહ વદ તા’દીલમાં અબુ હાતમ અરરઝી કહે છે: તેના વર્ણનો લખાયા હોય પરંતુ (પુરાવા પે) તેમને રજુ કરાય નહી અને તેમની રિવાયતો ન તો સશકત (કવી) છે ન મક્કમ (મોહકમ).(15)
અબુ હાતમ જે ઈ. મોઈનથી વર્ણવે છે કે અબુ ઉવૈસ ભરોસાપાત્ર નથી. આ બન્નેથી કોઈપણ રિવાયત કોઈપણ પ્રકારે સાચી (સહીહ) નથી. વધુમાં તે સહીહ અને સાચી રિવાયતોથી સંમંત નથી. તે ધ્યાન લેવા યોગ્ય છે કે રાવી જેવાકે હકીમ નેશાપુરી આ હદીસની કમઝોરીને સ્વીકારી છે પરંતુ તેની સાંકળને ખરી કરવાને બદલે તેની રાવીઓની સાંકળની પૃષ્ટીમાં સાક્ષીઓ લાવ્યા છે. જેના રાવીઓની સાંકળ પણ કમઝોર અને વિશ્ર્વાસનીયતાથી વંચીત છે. આમ હદીસને વધુ મજબુત બનાવવાના સ્થાને તેની નબળાઈ વધુ સ્પષ્ટ થાય છે. ચાલો આપણે તે નબળા સાક્ષીઓને જોઈએ.
‘વ સુન્નતી’ વર્ણનની બીજી રાવીઓની સાંકળને જોઈએ
રાવીઓની સાંકળ જે પછીથી બતાવીશું હકીમ નેશાપુરી અબુ હોરૈરાથી નકલ કરે છે જે રિવાયતને ‘મરફ’(16) કહેવામાં આવી છે.
:بعده�…ا تضل�’وا لن شيئين فيك�… تركت قد إن�’ي
“.الحوض علي�’َ يردا حتىٰ يفترقا لن و سن�’تي و الله كتاب


ખચીતજ હું તમારી વચ્ચે બે વસ્તુ મુકી જાઉ છું. જેને (તમે વળગી રહેશો) તો તમે કયારેય ગુમરાહ નહી થાવ. અલ્લાહની કિતાબ અને મારી સુન્નત (હદીસો) અને તેઓ (એકબીજાથી) કયારેય છૂટા નહી પડે ત્યાં સુધી કે તે મને હવઝ (કવસર) પર મળે.(17)
ઉપરોકત વર્ણનને હકીમે નીચે મુજબની રાવીઓની સાંકળથી વર્ણવી છે:
‘અદ્દબી એ સાલીહ ઈ. મૂસા અતતલહી જે અબ્દઅલ અઝીઝ ઈ. રાફી જે અબી આલેહય જેણે અબુ હુરૈરાથી.’
અગાઉના વર્ણનની જેમ આ વર્ણન પણ ઘડી કાઢેલુ છે અને સાલીહ હ. મૂસા અતતલહી જે એક રાવી છે તેના વિષે ઈલ્મે રીજાલના વિધ્વાનો કહે છે.
યાહ્યા ઈ. મુઈન કહે: સાલીહ ઈ. મૂસા અવિશ્ર્વાસનિય છે. અબુ હાતમ અર રઝી કહે છે તેની હદીસ કમઝોર (ઝઈફ) અને અસામાન્ય (મુનકર) છે, તે તેની અસહમત (મુનકર) હદીસો ભરોસાપાત્ર વ્યકિતઓથી વર્ણવે છે. નિસાઈ કહે છે: તેની હદીસને નોંધવી જોઈએ નહી. એક અન્ય જગ્યાએ તે કહે છે ‘તેની હદીસ રદ કરેલી છે (મતક)’(18)
તહઝીબ અત તહઝીબમાં ઈબ્ને હજર (અલ અસલ્તાની) લખે છે કે: ઈબ્ને હીબ્બાન કહે છે: સાલીહ ઈ. મૂસા ભરોસાપાત્ર લોકોથી એ વાતો નિમીત કહે છે જે તેમાંના શબ્દોથી સુસંગત નથી.’ પછી તે કહે છે ‘તેની હદીસ પાકા પુરાવા તરીકે દ્રષ્ટાંત નથી.’ અને અબુ નઈમ કહે છે: તેની હદીસ રદ થએલી છે અને તે હંમેશા અસામાન્ય હદીસો વર્ણવે છે.(19)
અત તકરીબમાં (20) ઈ. હર કહે છે: તેની હદીસ રદ કરેલી છે.’ અલ મશીકમાં (21) ઝહબી કહે છે: તેની હદીસ કમઝોર થઈ છે.’ મીઝાન અલ એઅતેદાલમાં (22) ઝહબી તેનાથી વિવાદગ્રસ્ત હદીસ વર્ણવે છે અને લખે છે કે તે તેની ‘હંમેશની’ હદીસોમાંથી છે.
વ સુન્નતી ની રાવીઓની ત્રીજી સાંકળ
અત તવહીદમાં અબ્દ અતબર આ વર્ણનને નીચે મુજબના રાવીઓની સાંકળથી આ લખે છે:
અબ્દ અર રેહમાન ઈબ્ને યાહ્યા એહમદ ઈબ્ને સઈડથી જે મોહમ્મદ ઈબ્ને ઈબ્રાહીમ અદ કુબયલીથી જે અલી ઈબ્ને અત ફરાએઝીથી જે હુમૈનીથી જે કસીર ઈબ્ને અબ્દુલ્લાહ ઈબ્ને અમ ઈબ્ને ઔફથી જે પોતાના પિતાથી જેમણે તેમના દાદાથી(23) ઈમામ શાફેઈ કસીર ઈ. અબ્દુલ્લાહ વિષે કહે છે: તે જુઠાણાનો એક સંભ છે(24) અબુ દાઉદ કહે છે કે તે ખોટા બોલો અને જુઠો છે.(25) ઈ. હીબ્બાન કહે છે: અબ્દુલ્લાહ ઈબ્ને કસીર એ હદીસોનું પુસ્તક જેમાં તેના પિતા અને દાદાથી વર્ણવી છે જે બનાવટી લખાણો પર આધારીત છે. તેમાંથી અથવા અબ્દુલ્લાહથી કોઈપણ હદીસ વર્ણવવી હરામ છે સિવાય કે તે આશ્ર્ચર્ય વ્યકત કરવાના હેતુસર અથવા ટીકા કરવા માટે હોય.(26)
નીસાઈ અને દટકુતની કહે છે: તેની હદીસો રદ છે. ઈમામ એહમદ (ઈ. હમ્બલ) કહે છે: તે મુનકર અલ હદીસ (જે વિચિદ્ર હદીસો વર્ણવતો હોય) છે અને તે ભરોસાને પાત્ર નથી અને ઈ. મોઈન પણ તેવોજ અભિપ્રાય છે.
તે આશ્ર્ચર્યજનક છે કે અત તકરીબમાં ઈ. હજર કસીરના જીવન વૃતાંતમાં તે લોકો જે આને જુઠાણામાં કરાર હોવાનો આરોપ મુકે છે તેને ફકત ઝઈફ કમઝોરની વ્યાખ્યાથી સંતોષ માને છે. જ્યારે કે ઈલ્મે રેજાલના અગ્રણીઓએ તેના પર જુઠાણા અને જુઠ ઘડવાનો આરોપ મૂકયો છે. વધુમાં ઝહબી કહે છે: તેના વાકયો પાયા વિહોણા અને કમઝોર છે.
રાવીઓની સાકળ વગર વર્ણન
માલીકે પોતાની મુવત્તામાં(28) કોઈપણ રાવીઓ વગર વર્ણવીને આ હદીસને મુરસસ(27) કહી છે અને આપણે આ જાણીએ છીએ કે આવી રિવાયતનું કોઈ મુલ્ય હોતું નથી.
આ અવલોકનથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે ‘વ ઈતરતી’ (મારી એહલેબૈત)ની વિધ્ધ ‘વ સુન્નતી’ (મારી સુન્નત) નું વર્ણન બની ઉમય્યાથી સંકળાયેલા જુઠા રાવીઓએ તેનું કુટલેખન કરી અને ઘડી છે.
આથી, મસ્જીદોમાં ખુતબા આપનારાઓ, ધાર્મિક પ્રવચનકતર્ઓિ, ઈમામે જમાઅત માટે જરી છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)થી સંબંધીત કરેલી પાયા વિહોણી રિવાયતોને તર્ક કરે અને લોકોને સાચી હદીસોથી પરિચિત કરાવે. મુસ્લીમે તેની સહીહમાં ‘એહલે બયતી’ થી તેને તીરમીઝીએ પોતાની સોનનમાં ‘ઈતરતી એહલેબયતીથી’ વર્ણવી છે તો ઈલ્મ મેળવવાવાળા તમામ પર તે ફરજીયાત છે કે હદીસ વિજ્ઞાનના નિયોમોનું પાલન કરે અને સાચી અને નબળી હદીસો વચ્ચે તફાવત કરે, નિષ્કર્ષ એ કે આપણે નોંધ લઈએ કે ‘એહલેબ બયતી’ શબ્દ પ્રયોગથી રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતાની ઝુરરીયત (સંતની) મુરાદ છે. જેમકે હ. ફાતેમા સ.અ., હસન અ.સ., હુસૈન અ.સ.(29) જેમકે મુસ્મીમે પોતાની સહીહ(30) અને તીરમીઝીએ પોતાની સુન્નતમાં(31) આએશાથી રિવાયત લખી છે:

إِن�’َ�…ا �� وسل�’�… {وآلهعليه الله صل�’ى �� الن�’بي علىٰ الآية هذه نزلت
تطهيراً كُ�…�’ يُطَه�’ِرَ وَ ال�’بَي�’ت أهلَ الر�’ِجسَ عَن�’كُ�…ُ لِيُذ�’هِبَ الله يُريدُ
�� وسل�’�… {وآلهعليه الله صل�’ى �� الن�’بي فدعا سل�…ة أُ�…�’ بيت في
ظهره خلف علىٰ و بكساء فجل�’له�… حسيناً و حسناً و فاط�…ة
عنه�… فاذهب بيتي أهل هولاء الل�’ه�… :قال ث�…�’ بكساء فجل�’له
نبي�’ يا �…عه�… أنا و :سل�…ة أُ�…�’ قالت .تطهيراً طَه�’َرَه�… و الر�’ِجس
.الخير إلىٰ أنتِ و �…كانكِ علىٰ أنت :قال ؟ الله
 ખચીતજ અય એહલેબયત સિવાય તેના કાંઈજ નથી કે અલ્લાહ ચાહે છે કે તમારાથી દરેક પ્રકારની અપવિત્રતા દૂર રાખે અને તમને એવા પાક પવિત્ર રાખે જેવા રાખવાનો હક છે.(32) ઉમ્મે સલમાના ઘરમાં વહી આવી હતી.
નબી (સ.અ.વ.) એ જ. ફાતેમા સ.અ., હસન અ.સ., હુસૈન અ.સ.ને ચાદર તળે લીધા અને અલી તેમની પાછળ હતા. તેમને પણ ચાદર તળે લીધા અને ફરમાવ્યું: અય અલ્લાહ, આ મારી એહલેબયત (ઘરવાળાઓ) છે. તેમનાથી અપવિત્રતા દૂર રાખ અને તેમને સંપૂર્ણ રીતે પાક રાખ. ઉમ્મે સલમાએ કહ્યું: યા રસુલુલ્લાહ! શું હું તેમના સાથે છું? આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: જ્યાં છો ત્યાં રહો અને તમે ભલાઈ (ખૈર) પર છો.(33)
હદીસે સકલૈનનો અર્થ
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ઈતરતને કુરઆનની સાથે વર્ણવી છે અને બન્ને ઉમ્મત માટે અલ્લાહની હુજ્જત વર્ણવી છે તો તેમાથી બે તારણો તારવી શકાય:
1. કુરઆનની જેમ નબીની ઈતરત (ઘરવાળાઔ) ના કૌલ હુજ્જત છે એટલે તમામ ધાર્મિક મામલાઓમાં એતલે બંને સૈધાંતિક અને કાયદાકીય બાબતોમાં તેમના કૌલનું પાલન કરવું અને તેમના કૌલના પાલન વિષેના પુરાવા પછી તેમનાથી ફરી જઈ અન્યોનું અનુસરણ ન કરવું.
પરંતુ નબી (સઅ.વ.)ની વફાત પછી મુસલમાનો ખિલાફત અને ઉમ્મતના રાજકીય બાબતોના વહિવટ પ્રશ્ન બે ભાગમાં વેહંચાઈ ગઈ. દરેક સંમૂહ પાસે પોતાનો તર્ક અને આધાર હતો. તેમની પાસે એહલેબયત (અ.મુ.સ.) ના બૌધિક અધિકારના મુદ્દે કોઈ અસંમતી હોવી જોઈતી ન હતી કારણકે તમામ મુસલમાનો હદીસે સકલૈના પ્રમાણિત હોવા વિષે પૃષ્ટિ કરે છે. જે કુરઆન અને એહલેબૈતને માન્યતાઓ તથા એહકામમાં સત્તાધિકારી બતાવે છે અને મુસલમાનો જો આ હદીસને ર્જીવે તો તેમનામાં મતભેદ ઘટશે અને મુસલમાનોમાં એકતા માટેના માર્ગ ઉછડશે.
2. કુરઆન અલ્લાહનો કલામ, ભૂલ તથા ત્રુટિથી મુકત છે. તેમાં ત્રૂટી કેવી રીતે હોય. જ્યારે અલ્લાહ તેના વિષે ફરમાવે છે:
﴿ لاَ يَأ’تِيهِ ال’بَاطِلُ …ِن بَي’نِ يَدَي’هِ وَلَا …ِن’ خَل’فِهِ تَنزِيلٌ ’ِن’ حَكِي…ٍ حَ…ِيدٍ ﴾

કે જુઠઠાણું તેને ન અગાળથી લાગુ પડશે, ન તેની પાછળથી, તે હિકમતના સાહેબ અને સ્તૃતિને પાત્ર (અલ્લાહ)ના તરફથી ઉતરેલું છે.(34)
જો કુરઆન ત્રુટીથી મૂકત છે તો તેના ભાગીદાર અને પ્રતિપ એટલેકે ઈટરત પણ ત્રૂટી કે ભૂલથી મુકત હોવા જોઈએ. કારણકે ભૂલ કરતા વ્યકિત કે ભૂલ કરનાર લોકોને તેનાથી સાંકળવું યોગ્ય નથી.
આ હદીસ તેઓની કોઈપણ પ્રકારની અપવિત્રતાથી રક્ષીત હોવાની સાક્ષી છે. અહી એ નોંધવું ઘટે કે ઈસ્મત (તમામ ગુનાહોથી પર હોવું) તે કમી અંબિયાનો વિષેષાધિકાર નથી. તે કે તેણીનું ગુનાહોથી પવિત્ર રહેવું કોઈ વ્યકિત માટે અશકય નથી ભલે પછી તે કે તેણી નબી ન હોય.
નીચેની આયત મુજબ
﴾ العالَ�…ِينَ نِسَاءِ عَلى وَاص�’طَفاكِ وَطَه�’َرَكِ اص�’طَفاكِ اللهَ إِن�’َ ﴿

તરજુમો(35)
હ. મરયમ તમામ ગુનાહોથી પવિત્ર છે તેમ છતાં કે તે નબી નથી.
સૈયદ રીદા હુમૈની નસબના પુરીત ‘ધી શીઆ રીબ્યુટસ’ માંથી સાભાર જે આયતુલ્લાહ જઅફર સુબ્હાનીની દેખરેખ હેઠળ લખાઈ.
નોંધ:
5. સંક્ષેપ (સં) અરબી અભર્યથતા વાકય ‘સલ્લાહુ અલયહે વ આલેહી વસલ્લમ’ અલ્લાહ તમારી અને તમારી આલ પર રહમત વરસાવે. આ પવિત્ર પયગમ્બર મોહમ્મદ (સં) ના નામ લેતી વખતે બોલાય છે.
6. મુસ્લીમ, સહીહ, ભાગ-4, પાના નં. 1803 હદીસ નંબર 2504 (આવૃતિ અબ્દ અલબકી) અબ્દુલ હમીદ સીદ્દીકી (તરજુમો) સહીહ મુસ્લીમ (અંગ્રેજી તરજુમો) ભાગ-4, હદીસ નંં 5920 (તરજુમો)
7. દરમી, સુનન ભાગ-2, પાના નં. 431-432
8. તીરમીઝી, સુનન, ભાગ-5, પાના નં. 663, હદીસ નં. 37788
9. હકીમ અલ નીશાપૂરી, મસ્તદરક (અલસ સહીયયન) ભાગ-1, પા 93
10. હાફિઝ શભદીક અર્થ ‘કઠસ્ય કરનાર’ અને હદીસની પરિભાષામાં જેમકે આ પુસ્તકમાં તે વિધ્વાનને વર્ણવ્યા જેની યાદદાસ્ત ઉત્ત્ામ છે અને જેણે ઘણી હદીસો બયાન કરી છે.
11. રીજાલ અથવા ઈલ્મ અર રીજાલ: હદીસ વિજ્ઞાનની એક શાખા જે તેના રાવીઓ અને નિવેદકોના જીવનદતાતને લગતી છે.
12. હાફીઝ અલ મઝમી, તહઝીબ અલ કમાલ ભાગ-3, પા. 127
13. ઈ. હજર અલ અસકલાની, ફતહ અલ બારીનો પરિચય (આવૃતિ દાર અલ મઆરીફ) પા. 391.
14. હાફીઝ સય્યદ એહમદ: ફતહ અલ મૂલક અલ ઔલા, પા. 15.
15. અબુહાતમ અર રઝી, અલ જરર્િ વત તાદીલ, ભાગ-5, પા. 92
16. મટકૂ ‘અનૂરેખણીય’ એવી રિવાયત જેને મઅસુમ (એટલે નબી (સ.અ.વ.) તથા ઈમામ (અ.સ.)થી અનુરેખી શકાય તેમાં રાવીઓની સાંકળ અંખડ ન હોવા છતાં
17. હકીમ અલ નીશાપુરી, મુસ્તદરક અલ સહીઅયન, ભાગ-1, પા. 13
18. હાફીઝ અલ મઝઝી, તહઝીબ અલ કમાલ, ભાગ-13, પા. 96
19. ઈબ્ને હજર (અલ અસ્કલાની) તહઝીન અત તહઝીબ, ભાગ-4 પા. 355
20. ઈબ્ને હજર (અલ અસ્કલાની) અત તકરીબ (ભાષાતરીત આવૃતિ) નં. 289
21. ઝહબી અલ કશીફ (ભાષાંતરીત આવૃતિ) નંબર 2412
22. ઝહબી, મીઝાન અલ એઅતેદાલ, ભાગ-2, પા. 302
23. અલ તમહીદ, ભાગ-24, પા. 33
24. ઈબ્ન હજર (અલ અસકલાની), તહઝીબ અત તહઝીબ (દાર અલ ફીક્ર) ભાગ-8, પા. 377, તહઝીબ અલ કમાલ, ભાગ-24, પા. 138
25. એજ નં.
26. ઈબ્ને હીબબાન, અલ મજહીન, ભાગ-2, પા. 221
27. મુરસલ:       એવી હદીસ જેના રાવીઓની સંપૂર્ણ સાંકળ ખબર નથી. એટલેકે તેના રાવીઓમાંથી એક યા તેથી વધુનું નામ ખબર નથી. મુરસલ તો શબ્દીક અર્થ છે. આગળ વધારયું કારણકે હદીસને તાબેઈને આગળ વધારી અને સહાબીનું નામ જેણે તેને વર્ણવી તે ગૂમ છે.
28. મલીક ઈબ્ને અનસ, અલ મુવ્વાતા, પા. 889, હદીસ નં. 3
29. સંક્ષેપ (અ) અરબી અભયર્થના અલયહીસ સલામ, અલયહેમુસ સલામ અથવા અલયહસ સલામ (તેના, તેમના, તેણીના પર સલામ થાય) જે અંબીયા, ફરીશ્તાઓ, પવિત્ર પયગમ્બરના વંશમાંથી ઈમામો અને સંતો માટે વપરાય છે.
30. મુસ્લીમ, સહીહ, ભાગ-4, પા. 1833, હદીસ નં. 2424, અબ્દુલ હમીદ સીદ્દીકી (તરજુમો) સહીહ મુસ્લીમ (અંગ્રેજી ભાષાંતર) ભાગ-4, હદીસ નં. 5955
31. તીરમીઝી સોનન, ભાગ-5, પા. 663
32. સૂ. અલ અહઝાબ 33:33
33. હસન બીન અલી અશ શફફાક, સહીહ સીફા સલાત અન નબી (સ) પા. 289-294 માંથી નોંધેલ.
34. સૂ. ફુસ્સેલાત 41:42
35. સૂ. આલે ઈમરાન 3:42

ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા શા માટે?

શરુ અલ્લાહ ના નામથી જે ઘણૉ મહેરબાન ઘણૉ રહમ કરવા વાલૉ છે
ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા શા માટે?
કેટલાક લોકો પૂછે છે કે શિયાઓ શા માટે ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા પઢે છે જયારે મોટા ભાગના મુસલમાનો જુદી જુદી પઢે છે અને દર નમાઝનુ  નામ પણ અલગ અલગ છે.
આ પૂશ્ન ના જવાબમાં અમે અમારૂ  સિઢ્ઘાંત પેશ કરશૂ કે અમે અમારા તમામ દીની બાબતો માં રસુલ (સઅવ)  નુ અનુસરણ કરિએ છે.
અમારી નમાઝ ના બાબતે, તે કેવી રીતે પઢવી, એના સમય, કેવી રીતે વઝુ કરવુ અને નમાઞના લગતે બીજી તમામ તૈયારીયૌં અને  શરીયતનાં બીજા નિયમો(અહકામ) અમે પવિતૂ કુરાન,રસુલ (સઅવ)  અને અહલે બૈતથી મેળવ્યુ છે
જોકે તમામ મુસ્લિમ સંપ્રદાયો દાવો છે કે તેઓ કુરાન અને સન્નાહ નુ અનુસરણ કરે છે , પરંતુ પર્યાપ્ત પુરાવાઓ વગર માત્ર દાવા કોઇ હકીકત સાબિત નથી કરતી. સંપૂર્ણ વિશ્વાસ અને પર્યાપ્ત સાબિતી સાથે, અમે કહી શકે છે કે જે સુન્નાહ, અમે પાલન કરિએ છે તે વાસ્તવિક, મૂળ અને શુદ્ધ પ્રમાણભૂત વ્યક્તિ એટલે અહલેબૈત છે જે રસુલ (સઅવ) સાથે રહેતા હતા અને તેમના કથનો અને તેમના કાર્યોએ વિશે બધું જાણતા હતા.
પવિત્ર કુરાનના અર્થઘટન અને સમજણ અહદિસ પર આધાર રાખે છે.માત્ર પ્રમાણભૂત અહદિસ આ અંગે ગણી શકાય.સ્પશઠરૂપે, અમે અહલેબૈત થી મેળવેલ પૂર્ણ વાસ્તવિક અને શુદ્ધ સુન્નાહ અનુસરએ છે અને જે માત્ર કુરાન અને રસુલ (સઅવ) ને અનુસરણ કરવાનુ રસ્તો છે,
નમાઝ કેવી રીતે પઢવૂ?
પોતાના ઇમાન,ઇબાદત,આમાલ ,અને નૈતિક જવાબદારી,ને લાગતા તમામ વિગતોમા,એક સાચા મુસલમાન ને રસુલ (સઅવ)ને અનુસરવું જોઈએ. પરંતુ નમાઝનુ ખાસ મહત્વ છે, કારણ કે ધર્મના આધારસ્તંભ છે, રસુલ (સઅવ) ભરપૂર ભાર નાખ્યો અને બધા મુસ્લિમોને આદેશ આપ્યો કે જેવી રીતે તે નમાઝ પઢે છે તેવી રીતે તેઓ પઢે. આ બાબતે નીચેની સ્થિતિઓ જન્મી શકે છે:
 
  1. એ બધી વસ્તુઓ ફરજિયાત બની જે રસૂલ(સઅવ) નિયમિત કરતા હતા દા.ત.દરેક નમાઝ ની પ્રથમ બે રકત માં સુરહ અલહમ્દ ની તિલાવત. કોઈ મુસલમાન ઇરાદાપૂર્વક આ ફરજિયાત છોડી શકતો નથી.
  2. એવીજ રીતે કોઇ પણ કાર્ય, જે રસૂલ(સઅવ) દ્વારા કરવામાં ન આવ્યૂ તે હરામ છે દા.ત. ઝોહર-અસ્ર નમાઝ અને મગરિબ-ઇશા નમાઝ  મળીને પઢવૂ હરામ હોતે અગર રસૂલ એ આવી રીતે ક્યારેય પઢયૂ ના હોતે.
  3. તેવીજ રીતે ,અગર રસૂલ(સઅવ) અમૂક કાયૅ કેટલીકવાર કરી હતી ,તો એનો અર્થ એ છે કે તે વસ્તુ ની પરવાનગી છે અને તે જાએઝ છે દા.ત. મસ્જિદ મા અથવા ઘરમાં નમાઝ પઢવું, પ્રથમ બે રકતમાં અલ હમ્દ પછી લાંબા અથવા ટૂંકા સુરહ પઢવું, ઝોહર-અસ્ર નમાઝ અથવા મગરિબ-ઇશા નમાઝ રસૂલ (સઅવ) ઘણી વખત,ફકત સ્વેચ્છાએ અને હેતુપૂર્વક , અનિય પરિસ્થિતિ જેમકે વરસાદ,મુસાફરી અથવા યુદ્ધ અથવા હજ વગેરે વિના ,આ નમાઝ મેલવીને પઢતા હતા.
અમે એ દાવો ક્યારેય નથી કરતા કે રસુલ (સઅવ) હંમેશા આ નમાઝ મેલવીને પઢતા , નહીંતર, તે નમાઝો  મેલવીને પઢવુ ફરજિયાત કરવામાં આવ્યો હતો.પરંતુ તેમણે અનેક વખત અને કોઈપણ અસાધારણ સંજોગો વિના તે નમાઝ મેળવીને પઢી ,તો એનો અર્થ એ છે કે તે જાએઝ છે .એ તે પણ દર્શાવે છે કે આમ કરવૂ સુન્નતે રસૂલ (સઅવ)છે. વધુમાં, અમે નથી માનતા કે આ નમાઝોને હમેશા મેલવીને પઢવૂ ફરજિયાત છે કારણ કે રસુલ (સઅવ) ક્યારેક આ નમાઝો અલગ અલગ પઢી હતી.
અમારે આશ્ચર્ય થાય છે  કેવી રીતે કેટલાક મુસ્લિમોએ દાવો કરે છે કે આ નમાઝો ને મેવીને પઢવૂ હરામ છે જયારે પ્રમાણભૂત સાબિતી છે કે જે રસૂલ(સઅવ) પોતે આવી રીતે પઢતા હતા. કેમકે રસૂલ(સઅવ) પોતે આવી રીતે કરતા હતાં, તેથી તે સ્પષ્ટ દર્શાવે છે કે તે સુન્નત છે, તેમના અમલ છે.આ રીતે માનતા અને અમલ દ્વારા, અમે ખરેખર રસૂલ(સઅવ)  ના પગલે ચાલીએ છે અને તેમના સુન્નત પર અમલ કરિએ છે, કારણ કે અમે તેને ફરજિયાત માને છે અને શરીયત ના તમામ અન્ય બાબતો અંગે પણ તેમને અનુસરણ કરિએ છે.
આ અંગે કેટલાક અમારા મુસલમાન ભાઈઓ દ્વારા ઊઠાવ્વામા આવતા મુખ્ય વાંધો એ નમાઞના સમય ની બાબત છે. તેથી અમે તે વિશે કુરાન ની રોશનીમાં એની ચર્ચા કરશુ.

 

કરાને કરીમ માં નમાઝના સમય
અમે પવિત્ર કુરાન નુ હવાલો આપશુ અને નમાઝનાં સમય જોઇશુ  જે સવૅશક્તિમાન અલ્લાહ એ મુસલમાનો માટે બતાવ્યુ,જે કહે છેઃ “નમાઝ કાયમ કરો સૂયૅ ના ઢળવાથી લઈને રાત ના અંધકાર સૂદી અને ફજ્ર ની નમાઝ ભી ,ફજ્ર ની નમાઝ ચોક્કસ સાક્ષી છે”
આ આયતમાં,અલ્લાહ (સવત)સ્પષ્ટ રીતે નીચે પ્રમાણે નમાઝના સમય આપે છે:
1. સૂર્ય ઘટી: ઝોહર અને અસ્ર નમાઝ ની શરૂઆતનો સમય.
2. રાત ના અંધકાર: મગરિબ અને ઈશા નમાઝ ની શરૂઆતનો સમય.
એ નોંધવું જોઇએ કે મગરિબ નમાઝ અને ઇફતાર ના સમય શિયા જે અહલે બૈત મારફતે વાસ્તવિક ઇસ્લામના અનુયાયી છે અને અન્ય મુસલમાનો જેઓ મુખ્યત્વે તેમના ચાર ઇમામો, અબુ હનીફા,શાફઈ,માલિક અથવા અહમદ ઇબ્ન હન્બલ નુ અનુસરણ કરે છે એવોમાં તફાવેત છે.
શિયાઓ માને છે કે મગરિબ સમય પશ્ચિમમાં આકાશ ની લાલાશ અદૃશ્ય થઈ જાય પછી શરૂ થાય છે, જે સૂર્ય અદ્રશ્ય થતા સૂર્યપ્રકાશના પ્રતિબિંબમાં છે . આ સાબિત કરે છે કે મગરિબ નમાઝનુ સમય રાત્રની શરુઆત છે,કે જે ચોક્કસ એજ સમય છે જે શિયાઓ  દ્વારા ગણવામાં આવે છે.
3. સવારનુ પઠન: ફજ્ર ની નમાઝનુ સમય. અહદિસ મુજબ, સવારનુ પઠન ચોકકસ સાક્ષી છે કારણ કે તેના બન્ને રાતૅ અને દિવસ ના ફરિશતા સાક્ષી છે.
તેથી આ આયત (૧૭:૭૮) ના અનુસાર તે તદ્દન સ્પષ્ટ છે કે નમાઝ માટે મુખ્ય ત્રણ સમય છે.
  1. ઝોહર અને અસ્ર
  2. મગરિબ અને ઈશા
  3. ફજ્ર.
અલ્લાહ (swt) કહે છે: " અને નમાઝ કાયમ કરો દિવસના બંને છેદે અને થોદી રાત પસાર થયા બાદ,હકીકતમાં નેકીઓ બુરાઈઓને દૂર કરી દે છે,આ એક યાદી છે એ લોકો માટે જે અલ્લાહને યાદ રાખનારા છે.”( સુરહ હૂદ આયત ૧૧૪)
આ આયત માં, નમાઝનુ સમય ફરીથી સ્પષ્ટ જણવામા આવ્યુ છે, કે ત્રણ મુખ્ય સમય,જે નીચે પ્રમાણે છે:-
  1. પ્રથમ અને દ્વિતીય: આ દિવસનાં ભાગો, જે સવારે, કે જે દિવસનાં શરૂનુ ભાગ છે અને બપોર, જે દિવસ ના અન્ય ભાગ છે, એટલે જ્યારે ઝોહર અને અસ્ર ની નમાઝનુ સમય શરૂ થાય છે .
તૃતીય: રાત્રની શરૂઆતમાં, જે મગરિબ અને ઈશા ની નમાઝનુ સમય છે.
તે પછી ખૂબ સ્પષ્ટ છે કે પવિત્ર કુરાનમા નમાઝનુ સમય, પાંચ નમાઝ માટે ત્રણ મુખ્ય સમય છે.

પહેલું: બપોર થી સૂર્યાસ્ત પહેલાં સુધી  : ઝોહર ની નમાઝ માટે એ બાદ અસ્ર ની નમાઝનુ સમય.
બીજો: વાસ્તવિક સૂર્યાસ્ત થી જ્યારે રાત ની  શરૂવાત થાય છે તે મગરિબ અને ઈશા ની નમાઝનુ સમય.
તૃતીય: ફજ્ર ની નમાઝ
રસુલ (સઅવ)  ની નમાઝનુ સમયઃ
બધા મુસલમાનો ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ના સમયને મેળવાના નિયમને માને છે, પરંતુ ગૈર શિયા દાવો કરે છે કે આ સંયુક્ત કરવાની પરવાંગી અમુક ચોક્કસ સંજોગોમાં જેમ કે વરસાદી વાતાવરણ, મુસાફરી, ખાસ જ્યારે (અરાફાત) ની યાત્રા અથવા માંદગી માં, અથવા યુદ્ધ માં છે , જ્યારે શિયા મજબૂત હવાલો આપે  છે કે રસુલ (સઅવ)  આ સૂચિત થયેલ બંધનો વિના આ નમાઝઓ મેળવતા. અહદિત ની મહત્વપૂણ કિતાબો જેમકે અલ-કાફી, અલ-ફકીહ, અલ-ઈસ્તિબ્સાર, અને અલ-તહઝીબ માં રસુલે ખુદા(સઅવ) અને તેમના અહલે બૈત(અસ) થી અસંખ્ય હદીસો મલે છે કે તેઓ (સઅવ) સામાન્ય અને સ્વાભાવિક દિવસોમાં પણ ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ મેલવીને પઢતા હતા. પરંતુ અમે આ પુસ્તકો નુ હવાલો નહી આપશુ કારણ કે તેઓ શિયા પુસ્તકો છે અને અમને ગૈર શિયા મુસ્લિમો માટે હકીકત સાબિત કરવુ છે. તેના બદલે, અમે તેને પોતાના પુસ્તકો થી સાબિત કરશુ જેને તેઓ પવિત્ર કુરાન પછી શરિયત નુ મૂળ તરીકે માને છે.
પહેલી હદીસઃ-સહીહ મુસ્લિમ માં જે સુન્નીઓ દ્વારા સહીહ બુખારી સહીત કુરાન પછી સૌથી પ્રમાણભૂત દસ્તાવેજ ગણવામાં આવે છે, એમા “બન્ને નમાઝો ને મેળવવા” ના બાબમાં
ઈબ્ને અબ્બાસ કહે છે,” રસુલ (સઅવ) એ મદીના મા કાઇકપણ ભય કે યાત્રા વિના ઝોહર-અસ્ર નમાઝ મેળવીને પઢા” ઈબ્ને અબ્બાસ ને પુછવામા આવ્યુ , રસુલ (સઅવ) એ આમ શા માટે કયૅુ તેને જવાબ આપ્યુ “તેઓ પોતાની ઉમ્મતમાંથી કોઇનેપણ મુશ્કિલ માં મુકવા ન્હોતા માંગતા.”
બીજી હદીસ: સહીહ બુખારીમાં જે અહલે તસન્નુમ માં સહુતી ઉચ્ચ સ્તર ની પુસ્તક છે -તેના ઝોહર ની નમાઝ અસ્ર સુઘી વિલંબિત કરવાનાં પૃકરણ માં, નમાઝના સમય ના ભાગ માં. ઇબ્ન અબ્બાસ જણાવે છે કે રસુલ (સઅવ) એ મદીના માં સાત રકાત અને આઠ રકાત પઢી (અર્થ મગરિબ અને ઈશા સાત અને ઝોહર અને અસ્ર આઠ)
તીસરી હદીસઃ-સહીહ બુખારી માં ઈબ્ને અબ્બાસ થી મલે છે કે રસુલ (સઅવ)એ કાઇકપણ ભય કે યાત્રા વિના ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા નમાઝ મેળવીને પઢા” ઈબ્ને અબ્બાસ ને પુછવામા આવ્યુ શા માટે ,તેને જવાબ આપ્યુ “રસુલ (સઅવ) પોતાની ઉમ્મતને મુશ્કિલ માં મુકવા ન્હોતા માંગતા.”
.      ચોથી હદીસઃ - અલ-તબરાની અબ્દુલ્લાહ ઇબ્ને મસુદ થી જણાવે છે કે રસુલ (સઅવ)એ ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા નમાઝ મેળવીને પઢા અને જ્યારે તેમણે પુછવામાં આવ્યું કે તેઓ શા માટે સાથે મળીને પઢી, તે(સઅવ)એ ઉલટાવીને કહુઃ-મે આમ કયૅુ જેથી મારી ઉમ્મતને મુશ્કેલી ન થાય.આ હદીસ અલ-ઝરગાની ની શરહ અલ મવત્તા નાં વોલ્યુમ ૧,પેજ ૨૬૩ માં ઉલ્લેખણ થયુ છે.
પાંચમી હડીસ: - અબ્દુલ્લા ઇબ્ન ઉમર ને પુછવાંમા આવ્યું: રસુલ (સઅવ)  ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા કાઇકપણ ભય કે યાત્રા વિના મેળવીને શા માટે પઢતા? અબ્દુલ્લા ઇબ્ન ઉમર જવાબ આપ્યો: - તેમણે આમ કર્યું જેથી તેમના ઉમ્મતને મુશ્કેલી ન થાય.આ હદીસ વિખ્યાત પુસ્તક કન્ઝુલ ઉમ્માલ ના, વોલ્યુમ ૪,પેજ ૨૪૨ માં ઉલ્લેખણ થયુ છે.
છઠ્ઠી હદીસ: - સહીહ મુસ્લિમ માં છે કે ઇબ્ન અબ્બાસ કહ્યું: - અમે બે નમાઝો રસુલ (સઅવ) ના સમય માં એક સાથે પઢતા હતા.
તે ઉલ્લેખનીય છે કે મુસ્લિમ તેની સહીહમાં સંપૂણૅ પ્રકરણ “મુસાફરી વિના બે પ્રાર્થના સંયોજન કરવા” માટે સમર્પિત કયૅુ છે  જેમાં તેમણે દસ કરતા પણ વધારે પ્રમાણભૂત હદીસો પુરવાર કરયુ છે કે રસુલ (સઅવ)  કાયપણ નિયંત્રણો વગર સાથે મળીને પઢતા હતા .
બે નમાઝોને સંયોજિત કરવાના કારણ હદીસોમાં સ્પષ્ટ ઉલ્લેખ થયૂ છે; એટલે કે, મુલમાનોને  મુશ્કેલી માં ના મૂકવૂ,કારણ કે ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા નમાઝ અલગ કરવી ક્યારેક કષ્ટડાયક અને મુશ્કેલીઓ નુ કારણ બને છે, ખાસ કરીને કામ કરતા અને વ્યસ્ત લોકો માટે. આ મુશ્કેલી નમાઝ છોડવાનુ કારણ બની શકે, જેમ કે આપને જોઈએ છે કે ઘણા જે સરળતાથી અલગ અલગ પાંચ વખત નમાઝ નહીં પઢી શકતા કારણ કે તેમના માટે તે કરી શકાય એવૂ  નથી, તેઓ સરળતાથી તેમની નમાઝ છોડી દઇે છે.
બે નમાઝોના સંયોજન કરવામાં કેટલાક મહત્વપૂણૅ લાભ  એ અલ્લાહ તઆલા તરફથી  સુવિધા અને બષિશ અને મોમિનો માટે ભેટ છે, કારણ કે તે જાણે છે કે આ વ્યાવહારિક માર્ગ છે ઘણા વ્યક્તિઓ માટે અને વિવિધ સંજોગોમાં . કોઇએ ને પણ અધિકાર નથી આ કૃપાના દ્વાર ને બંધ કરવાની, જે અલ્લાહ દ્વારા ખોલવામાં આવી હતી અને રસુલ (સઅવ) પોતે એનાપર અનેક વખત અમલ કરી ઉપરોક્ત લાભ ઉપરાંત અન્ય ફાયદાઓ પણ છે. એક માણસ ઇમામ હસન અલ અસ્કરી (અસ) સામે ફરિયાદ કરી કે તે પૈસાદાર હતો અને ગરીબ બની ગયો. ઇમામ (અસ) તેને તાકીદ કરી, "બે નમાઝોને મેલવ; પછી તૂ એ જોશે જે તને ગમે છે."
સારાંશ
પવિત્ર કુરાન અને  પ્રમાનભૂત હદીસો માંથી મલેલા આ તમામ પુરાવાથી આ સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા મળીને પઢવૂ વાસ્તવિક સુન્નત અને રસુલ (સઅવ)  ની રીત છે. જે આ હકીકતનુ ઇનકાર કરે છે તેઓ વાસ્તવિકતામાં હકીકી સુન્નાહનુ  ઇનકાર  અને  રસુલ (સઅવ) દ્વારા કરવામાં આવતા અમલ સામે વાંધો ઉઠાવે છે .વાસ્તવિક ઇસ્લામનુ પાલણ કરણારા,જે શિયા કહેવાય છે,એઓ રસુલ (સઅવ)નુ શબ્દો અને અમલમાં અનુસરણ કરે છે.
સૌજન્ય: હુજ્જતુલ ઇસ્લામ આગા સૈયદ મોહમ્મદ અલ-મૂસવી

એહલેબૈત (અ.મુ.સ.)ના વસીલા વડે અલ્લાહ પાસે મદદ માંગવી

અમૂક વિરોધી લોકો શીઆઓ ઉપર એ આરોપ મુકે છે કે શીઆ લોકો રિઝક, ફઝલ, સફળતા, તંદુરસ્તી અને દૌલત જેવી નેઅમતોની પ્રાપ્તિ માટે એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ના વસીલામાં માન્યતા ધરાવે છે. ત્યાં સુધી કે તેઓ વરસાદ, સારો પાક, વિગેરે જેવી કુદરતી ઘટનાઓ માટે પણ એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ને વસીલો બનાવે છે. વિરોધીઓ આ માટે એ દલીલ રજુ કરે છે કે અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે ગૈબી મદદ માંગવી એ વસીલા અથવા શખ્સીય્યતની ઈબાદત કરવા બરાબર છે. આ દલીલ વડે તેઓ શીઆ લોકો ઉપર એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ની ઈબાદત કરતા હોવાનો આરોપ લગાવે છે અને શીઆ લોકોને મુશ્રીક ગણાવે છે.
વસીલાનું મહત્વ:
મુસલમાનોમાંથી અમૂક કહેવાતી વિચારધારાને માનનારા લોકો સિવાય મોટા ભાગના મુસલમાનો વસીલામાં માન્યતા ધરાવે છે. આથી શીઆ લોકોનું વસીલા દ્વારા મદદ માંગવું તેમને કોઈ પણ પ્રકારે મુશ્રીક સાબીત કરતુ નથી. બલ્કે એ તૌહીદનો ઉચ્ચસ્તરીય અમલનો પ્રકાર છે. આ તો ખુદ ખુદાવંદે કરીમની ઝાત છે કે જેણે મોઅમીનોને વસીલો શોધવાનો હુકમ કર્યો છે. અલ્લાહ તઆલા કુરઆનમાં ફરમાવે છે:
يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوا اتَّقُوا اللهَ وَابْتَغُوا
"અય ઈમાન લાવનારાઓ! અલ્લાહથી ડરો અને  તેના  સુધી  પહોંચવાનો  વસીલો શોધો તથા તેના માર્ગમાં સંઘર્ષ કરો કે જેથી તમે સફળતા મેળવો."
(સુરએ માએદાહ-5: આયત નં. 35)
જે લોકો તવસ્સુલમાં માન્યતા ધરાવતા નથી હકીકતમાં તો તે લોકો કુરઆનનો ઈન્કાર કરનારા છે અને તેઓ જ કુફ્ર કરનારા છે. સાથો સાથ આ આયત એ વાતને પણ રદ કરે છે કે કોઈને વસીલો બનાવવો એ તેની ઈબાદત કરવા સમાન છે. કારણ કે અગર આવું જ હોત તો અલ્લાહ તઆલા મોઅમીનોને કયારેય વસીલો શોધવાનો હુકમ  ન આપત.
કુરઆન, હદીસો અને ઈતિહાસમાં એવા અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે જેમાં મુસલમાનો કે જેમાં રસુલ (સ.અ.વ.)ના સહાબીઓનો પણ સમાવેશ થાય છે તેઓએ ખુદાની મદદ અને પોતાના ગુનાહોની માફી વસીલા થકી મેળવી છે. આ ઉદાહરણો શીઆઓના અકીદાને મજબુત સમર્થન આપે છે અને વિરોધીઓના તમામ આરોપોનું ખંડન કરે છે.
ઈલાહી વસીલાઓ દ્વારા મદદ માંગવી:
કુરઆને કરીમમાં સંખ્યાબંધ આયતો જોવા મળે છે કે જેમાં જુદી જુદી કૌમોએ ઈલાહી વસીલા વડે મદદ માંગી છે.
અહિં નીચે મુજબ અમૂક આયતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આપણા અકીદાને સાબીત કરવા માટે પૂરતી છે.
1) હઝરત ઈસા (અ.સ.)ને (એમની કૌમ દ્વારા) વસીલા બનાવવા:
સુરએ માએદાહની 112 થી 115 આયતમાં જોવા મળે છે:
"અને જ્યારે હવારીઓએ કહ્યું કે અય મરિયમના પુત્ર હઝરત ઈસા (અ.સ.)! શું તમારા પરવરદિગારથી આ થઈ શકે છે કે અમારા માટે આકાશ ઉપરથી માએદાહ (દસ્તરખ્વાન) ઉતારે? તો તેમણે ફરમાવ્યું કે અગર તમે મોઅમીન હો તો અલ્લાહથી ડરો.
તેઓએ અરજ કરી કે અમે તો એ ચાહીએ છીએ કે તેમાંથી કંઈક ખાઈએ અને અમારા મનનું સમાધાન થઈ જાય અને અમે જાણી લઈએ કે તમે અમને સાચું કહ્યું છે અને અમે પણ તેના સાક્ષી બની જઈએ.
ત્યારે મરિયમના પુત્ર હઝરત ઈસા (અ.સ.)એ અરજ કરી કે ખુદાયા! પરવરદિગાર! અમારા ઉપર આકાશમાંથી દસ્તરખ્વાન ઉતાર કે જે અમારા પહેલાઓ તથા પછીના માટે ઈદ થઈ જાય. તેમજ તારી કુદરતની નિશાની બની જાય અને અમને રોઝી અર્પણ કર અને તું સર્વોત્તમ રોઝી આપનાર છો.
અલ્લાહે ફરમાવ્યું કે હું તે તમારા ઉપર જરૂર ઉતારનાર છું પરંતુ ત્યાર બાદ તમારામાંથી જે કોઈ ઈન્કાર કરશે તો તેના ઉપર એવો અઝાબ ઉતારીશ કે જેવો સૃષ્ટિમાંથી કોઈ ઉપર ઉતાર્યો નહિં હોય."
(સુરએ માએદાહ-5, આયત નં. 112-115)
શા માટે હઝરત ઈસા (અ.સ.)ના હવારીઓએ ફકત હઝરત ઈસા (અ.સ.) પાસે જ દસ્તરખ્વાનની માંગણી કરી?
  • શા માટે હવારીઓએ આ માંગણી સીધેસીધી અલ્લાહ પાસે ન કરી?
  • અગર હવારીઓએ વસીલા વગર અલ્લાહ પાસે ખોરાકની માંગણી ન કરીને ભુલ કરી હતી તો જ. ઈસા (અ.સ.) કે જે અલ્લાહ અને હવારીઓ વચ્ચે વસીલા બનવાને બદલે હવારીઓની ભુલની સુધારણા શા માટે ન કરી?
  • અને સૌથી વધારે વિચારવા યોગ્ય વાત તો એ છે કે હઝરત ઈસા (અ.સ.)ની દોઆ પછી અલ્લાહનું કહેવું કે બેશક હું તમારા માટે ખોરાકને નાઝીલ કરીશ.
આ બધી જ વાતો તવસ્સુલની માન્યતાને યોગ્ય ઠેરવે છે, નહીં કે ગલત.
2) હઝરત મુસા (અ.સ.)નો વસીલો:
"અને અમોએ બની ઈસ્રાઈલને (યાઅકુબ અ.સ.ની બાર અવલાદને) બાર હિસ્સાઓમાં વહેંચી દીધી અને મુસા (અ.સ.)ની પાસે જ્યારે તેની કૌમે પાણી માંગ્યુ ત્યારે અમોએ વહી કરી કે તમે લાકડીને પથ્થર ઉપર મારો તો જ્યારે તેમણે લાકડી મારી તો તેમાંથી બાર ઝરણાં વહી નીકળ્યા એવી રીતે કે દરેક ટોળાએ પોત પોતાના ઘાટને ઓળખી લીધો; અને અમોએ તેમના ઉપર વાદળાઓથી છાંયો કર્યો અને તેમના ઉપર મન્ન તથા સલ્વા જેવી નેઅમતો ઉતારી કે અમારા દ્વારા અતા કરેલુ પાકીઝા રીઝકને ખાઓ; (અને તેઓએ નાફરમાની કરીને અમારી ઉપર ઝુલ્મ ન કર્યો પરંતુ ખરેખર તેઓએ પોતાના નફસ ઉપર ઝુલ્મ કર્યો."
(સુરએ અઅરાફ-7, આયત નં. 160)
અહીં પણ બની ઈસ્રાઈલના લોકોએ પાણી જેવી બુનિયાદી ચીજ માટે પણ હઝરત મુસા (અ.સ.)નો સંપર્ક સાધ્યો. શા માટે બની ઈસ્રાઈલના લોકોએ કોઈ પણ વસીલા વગર અલ્લાહ પાસે પાણીની માંગણી ન કરી? આ પ્રસંગે પણ ન તો હઝરત મુસા (અ.સ.)એ અને ન તો અલ્લાહ તઆલા દ્વારા તવસ્સુલ બારામાં નારાઝગી જાહેર કરવામાં આવી પરંતુ અલ્લાહે હઝરત મુસા (અ.સ.) ને પાણી કેવી રીતે પ્રાપ્ત કરવું તેનો ઉપાય બતાવ્યો.
એક વધુ ઉલુલઅઝમ નબીની કૌમ દ્વારા ઈલાહી વસીલાની માન્યતાને અપનાવવાનો આ કિસ્સો તવસ્સુલની માન્યતાને વધારે મજબુતી અર્પણ કરે છે.
બંને કુરઆની વાકેઆ વડે આ વાત સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ જાય છે કે હઝરત મુસા (અ.સ.)ની કૌમનું પાણી માંગવુ અને હઝરત ઈસા (અ.સ.)ની કૌમ દ્વારા ખોરાકની માંગણી કરવી એ કોઈ પણ પરિસ્થિતિમાં સુરએ શુરા આયત નં. 79 "અને તે જ મને ખાવા માટે અને પીવા માટે આપે છે." થી વિરોધાભાસી બાબત નથી.
આજ પ્રમાણે સંખ્યાબંધ કુરઆનની આયતો એ બાબતો તરફ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે ખુદાવંદે કરીમે પયગમ્બરોની ઉમ્મતો માટે ખોરાક, પાણી અને તંદુરસ્તી જેવી નેઅમતો પયગમ્બરોના વસીલા દ્વારા અર્પણ કરેલ છે. જ્યારે કે આ ચીજોનો સવાલ તે લોકોએ પયગમ્બરો અને તેના વસીઓ પાસે કર્યો હતો. શું ખુદાવંદે કરીમથી વધારે કોઈ તૌહીદને સમજી શકે છે? શું કુરઆનથી વધારે શ્રેષ્ઠ કોઈ શિક્ષક છે? અને અમને કોઈ એવો પ્રસંગ કે બનાવ જોવા નથી મળતો જેમાં અલ્લાહ અથવા કુરઆને લોકોને પયગમ્બર અથવા તેના વસીઓને વસીલો બનાવવાની મનાઈ કરી હોય.
3) હઝરત યાઅકુબ (અ.સ.)નો વસીલો:
સુરએ યુસુફની આયત નં. 97 અને 98 માં જોવા મળે છે:
"તે લોકોએ કહ્યું અય અમારા પિતા! તમે અમારા ગુનાહો માટે ઈસ્તિગ્ફાર કરો, બેશક અમે ગુનેહગાર હતા. તેમણે કહ્યું હું નજીકમાંજ તમારા હકમાં ઈસ્તિગ્ફાર કરીશ કે મારો પરવરદિગાર મોટો માફ કરનાર અને મહેરબાન છે."
હઝરત યાઅકુબ (અ.સ.)ના ફરઝંદો કોઈ પણ વસીલા વગર સીધા જ અલ્લાહ પાસે મગ્ફેરતની માંગણી કરી શકતા હતા પરંતુ તેઓએ ખુદાની નઝદિક પોતાના વાલીદે બુઝુર્ગવારના ઉચ્ચ મકામ (હોદ્દા)ને ધ્યાનમાં રાખીને અલ્લાહની બારગાહમાં હઝરત. યાઅકુબ (અ.સ.)ને વસીલા બનાવ્યા અને હઝરત યાઅકુબ (અ.સ.) એ પણ પોતાના ફરઝંદોના આ અમલને શીર્ક ન કહ્યું બલ્કે પોતાના ફરઝંદોથી એ વાયદો પણ કર્યો કે તેઓ અલ્લાહની બારગાહમાં તેઓની મગ્ફેરત માટે દોઆ કરશે.
તવસ્સુલનો તરીકો:
શીઆઓ પોતાની હાજતો પૂર્ણ થવા માટે, એહલેબૈત (અ.મુ.સ.)ના વસીલો મેળવવા માટે વિવિધ દોઆઓ, ઝિયારતો, મુનાજાતો અને નમાઝો વિગેરેનો સહારો લે છે. આ કે જે ભરોસાપાત્ર સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થયેલ છે તે ઝીક્રે ખુદા પઢતી વખતે શીઆ લોકો શું એહલેબૈત (અ.મુ.સ.)ને અલ્લાહ રબ્બુલ ઈઝઝતથી બેનિયાઝ અથવા શું તેમને અલ્લાહ તઆલાની કુદરતમાં ભાગીદાર સમજે છે? નહિં એવું હરગીઝ નથી. શીઆ લોકોની એ માન્યતા છે કે એહલેબૈત (અ.મુ.સ.) મઅસુમ છે અને અલ્લાહની નઝદિક બલંદ દરજ્જો ધરાવે છે અને હંમેશા અલ્લાહના હુકમ અને કુદરતને સમર્પિત હોય છે. આ કારણે શીઆ લોકો એહલેબૈત (અ.મુ.સ.)ને પોતાની અને ખુદાવંદે કરીમની દરમ્યાન વસીલો બનાવે છે.
ઝિયારતે જામેઆ:
વિરોધીઓ ઝિયારતે જામેઆના પઢવાના બારામાં વિરોધ દર્શાવતા કહે છે કે આ ઝિયારત શિર્કથી ભરપૂર છે. કારણ કે તેમાં એહલેબૈત (અ.મુ.સ.)ને અલ્લાહના ભાગીદાર દર્શાવતા કલામો દ્વારા સંબોધિત કરવામાં આવ્યા છે (મઆઝલ્લાહ).
વિરોધીઓ દ્વારા આ આરોપો લગાવવા ખૂબજ ગુમરાહીભર્યુ કૃત્ય છે કારણ કે આ ઝિયારતના કોઈ પણ ભાગમાં એહલેબૈત (અ.મુ.સ.)ને અલ્લાહના શરીક દર્શાવવામાં આવેલ નથી. હકીકતમાં આ ઝિયારત તૌહીદના વિષયોથી ભરપૂર છે.
ઝિયારતે જામેઆ એ ઝિયારતમાંથી એક છે જે ખૂબજ ભરોસાપાત્ર છે અને ઈમામે મઅસુમ દ્વારા નકલ થયેલી છે. હ. ઈમામ અલી બીન મોહમ્મદ અલ હાદી (અ.સ.) એ હસ્તી છે કે જેમણે તૌહીદ એ રીતે ગ્રહણ કર્યુ છે જેવી રીતે તૌહીદના વિષયો પ્રશ્નો કુરઆનમાં નાઝીલ થયેલ છે અને રસુલે ખુદા (સ.અ.વ.) એ બયાન કરેલ છે. આ સમયના મોટા આલીમો કે જેમાં એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોનો પણ સમાવેશ થાય છે તેઓ ઈ. અલી બીન મોહમ્મદ અલ હાદી (અ.સ.) અને બીજા અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની ચોખટ ઉપર તૌહીદ અને શીર્કના દર્સ શીખતા અને સમજતા નજરે પડે છે. આ ઝિયારત એ જ હઝરત (અ.સ.)થી વારીદ  થયેલી છે.
ઉદાહરણ સ્વરૂપે આ ઝિયારતમાંથી અમૂક વાકયો અહીં રજુ કરવામાં આવે છે. વાંચકો પોતે નિર્ણય કરે કે શું આ ઝિયારત શીર્ક છે???!!!!
આપના લીધે અલ્લાહ ખૂબજ વધારે અને દૂર દુરના વિસ્તારો સુધી પહોંચનારો વરસાદ નાઝીલ કરે છે અને આપના લીધે જ આસમાનને પોતાને ઝમીન ઉપર પડવા નથી દેતું ત્યાં સુધી કે એ (ખુદાવંદે કરીમ) હુકમ આપે અને આપના લીધે અલ્લાહ મુશ્કેલીઓને દુર અને સખ્તીઓને ખતમ કરે છે અને તે હઝરાત પાસે એ છે જે અલ્લાહે પોતાના રસુલ (સ.અ.વ.) ઉપર નાઝીલ કર્યું છે.
આ વાકયો ઉપરથી એ વાત બિલ્કુલ સ્પષ્ટ થાય છે કે ઝિયારતે જામેઆમાં એહલેબૈત (અ.મુ.સ.)ને વસીલો બનાવવામાં આવ્યા છે અને ખુદાવંદે કરીમને એ કાર્યોનો હંમેશનો માલીક અને મુખ્તાર સમજવામાં આવ્યો છે. અહીં એહલેબૈત (અ.મુ.સ.)ને ખૂબજ ઉચ્ચ હોદ્દા ઉપર દશર્વિવા વરસાદના નાઝીલ થવાના ઝરીયા, મુસીબતો અને સખ્તીઓ દુર કરવાના રસ્તા રજુ કરવામાં આવ્યા છે. અહીં એવું કાંઈ પણ નથી કે જે એમ દશર્વિતું હોય કે એહલેબૈત (અ.મુ.સ.) ખુદ પોતે પોતાની જાત થકી (અલ્લાહની પરવાનગી અને મદદ વગર) વરસાદ નાઝીલ કરે છે અથવા પોતાની જાત થકી મુસીબતોને દુર કરે છે.
અગર વર્ણનમાં એમ છે કે એહલેબૈત (અ.મુ.સ.) પોતાની જાત થકી પોતે કોઈ કાર્યને અંજામ આપે છે તો તેનો મકસદ ફકત એ જ છે કે તેઓ આ કાર્યને અલ્લાહના હુકમથી અંજામ આપે છે. જેવી રીતે કે અલ્લાહ રબ્બુલ ઈઝઝતે કુરઆને મજીદમાં રૂહોના કબ્ઝ કરવા બાબતે ફરમાવ્યું છે.
આપ (સ.અ.વ.) કહી દયો કે:
"મૌતના ફરિશ્તા જે તમારા ઉપર નીમવામાં આવ્યા છે તે તમને મૌત દેશે."
(સુરએ સજદા, 42-11)
જુઓ આ આયતમાં મૌતનો ફરિશ્તો ઈન્સાનોની રૂહને કબ્ઝ કરી રહ્યો છે. પરંતુ જે લોકો કુરઆનની રજુઆતના તરીકાથી માહિતગાર છે અને તૌહીદ તથા શીર્કના વિષયોને સમજી રહ્યા છે તેઓ આ વાતને સંપૂર્ણ રીતે સમજે છે કે મૌતનો ફરિશ્તો સ્વતંત્ર રીતે (રૂહ કબ્ઝ કરવા ઉપર) ઈખ્તિયાર ધરાવતો નથી બલ્કે તેનો ઈખ્તિયાર અલ્લાહના હુકમને આધીન હોય છે.
બિલ્કુલ એવી જ રીતે જે લોકો ઝિયારતે જામેઆની તિલાવત કરતા હોય છે તેઓ એ વાતથી માહિતગાર હોય છે કે એહલેબૈત (અ.મુ.સ.) પણ અલ્લાહના હુકમને આધીન હોય છે અને તેમના કાર્યો પણ અલ્લાહ તઆલાની મરઝી અને મશિય્યત મુજબના હોય છે, કારણ કે એહલેબૈત (અ.મુ.સ.) મલેકુલ મૌતથી વધારે અલ્લાહના ફરમાંબરદાર અને તેમનો દરજ્જો અલ્લાહની નઝદીક બધા જ ફરિશ્તાઓથી અફઝલ છે.
દોઆ એ તવસ્સુલ
આ બીજી મહત્વની દોઆ છે કે જેની તિલાવત શીઆ લોકો દ્વારા કરવામાં આવે છે. જેમ કે આ દોઆના નામથી જ ખ્યાલ આવે છે કે આ દોઆમાં એહલેબૈત (અ.મુ.સ.)ના વસીલા વડે અલ્લાહની મદદ માંગવામાં આવે છે. આ બાબત ઉપર પણ ધ્યાન આપવું જોઈએ કે આ દોઆમાં આપણી હાજતોને પૂર્ણ કરાવવા માટે એહલેબૈત (અ.મુ.સ.)ને અલ્લાહની બારગાહમાં વસીલા અને ઝરીયા બનાવવામાં આવે છે અને તેનાથી એ તારણ હરગિઝ નથી કાઢી શકાતું કે એહલેબૈત (અ.મુ.સ.) નેઅમતો પ્રાપ્ત કરવાના મૂળ સ્ત્રોત અને વસીલા છે.
જેમ કે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને વસીલા બનાવીને આપણે કહીએ છીએ:
અય અબલ હસન, અય અમીરૂલ મોઅમેનીન, અય અલી ઈબ્ને અબી તાલિબ, અય અલ્લાહની હુજ્જત તેની મખ્લુક ઉપર, અય અમારા સરદાર, અય અમારા મૌલા, અમે તમારી તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, અમે તમને અલ્લાહની બારગાહમાં અમારી શફાઅત કરનારા અને વસીલા બનાવીએ છીએ. અમે તમારી સમક્ષ અમારી હાજતો રાખીએ છીએ. અય અલ્લાહના પ્રતિનિધિ અલ્લાહ પાસે અમારી શફાઅત કરો.
આવી જ રીતે બીજા અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ને પણ અલ્લાહની બારગાહમાં વસીલા બનાવીએ છીએ.
એકદમ સ્પષ્ટ છે કે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ને આ દોઆમાં અલ્લાહની સમક્ષ ખૂબજ બલંદ દરજ્જા ધરાવનારી શખ્સીય્યત કરાર દેવામાં આવ્યા છે. નહીં કે તેઓને અલ્લાહની સાથે શરીક અથવા અલ્લાહની ઝાત કરાર દેવામાં આવ્યા છે.
દરેક વારીદ થયેલી ભરોસાપાત્ર દોઆ અને ઝિયારત જેમાં એહલેબૈત (અ.મુ.સ.)ને વસીલા બનાવવામાં આવ્યા છે તેનો અર્થ અને ભાવાર્થ પણ આમ જ છે અને તેમાંથી કોઈ પણ દોઆ કે ઝિયારતમાં તૌહીદના સંદર્ભમાં કોઈ પણ પ્રકારના શક કે શંકા નથી. બલ્કે હકીકતમાં તે દરેક મુનાજાતોમાં તૌહીદ અને શીર્કની સંપૂર્ણ સમજણ આપવામાં આવી છે અને વિરોધીઓ આ ત્યારે જ સમજી શકશે જ્યારે તેઓ કુરઆનની આયતો અને રસુલ (સ.અ.વ.)ની સાચી સુન્નત ઉપર વધારે ચિંતન અને મનન કરશે.
જ્યારે આ સાબિત થઈ ચુકયુ છે કે ખુદ અલ્લાહ તઆલાએ કુરઆનમાં વસીલો શોધવાનો હુકમ આપ્યો છે ત્યારે દરેક મુસલમાન પુરૂષ અને સ્ત્રી ઉપર વાજીબ છે કે અલ્લાહના આ હુકમને બજાવી લાવે. કારણ કે અગર કોઈ તેનો ઈન્કાર કરે તો હકીકતમાં તેણે અલ્લાહની નાફરમાની કરી અને આ આધારે તે ઈસ્લામમાંથી બહાર નીકળી જશે.
અલ્લાહ તઆલા આપણને બધાને એહલેબૈત (અ.મુ.સ.)ની મોહબ્બત અને વિલાયત ઉપર કાએમ રાખે અને તેમના વસીલાથી આપણા બધાની મગ્ફેરત ફરમાવે. આમીન.